પૂર્વ પીએમ બાજપેયીના ભત્રીજી કરુણા શુકલનું કોરોનાથી નિધન
27, એપ્રીલ 2021 3069   |  

રાયપુર 

પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ભત્રીજી અને કોંગ્રેસ નેતા કરુણા શુકલનું સોમવારે મોડક્ષરાત્રે કોરોનાથી નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમણના કારણે રાયપુરની રામકૃષ્ણ હોસ્પીટલમાં દાખલ થયા છે. મોડીરાત્રે 12.40 વાગ્યે તેમનું નિધન થયું હતું. કોંગ્રેસનો ચીકીત્સા પ્રકોષ્ઠના પ્રદેશ અધ્યક્ષ ડો. રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર આજે મંગળવારે બલૌદાબજારમાં કરવામાં આવશે. કરુણા શુકલ હાલમાં સમાજકલ્યાણ બોર્ડના અધ્યક્ષ હતા. તે પહેલા તેઓ લોકસભા સાંસદ પણ હતા, તે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિત તમામ પદો પર હતા. વર્ષ 2013માં કરુણા શુકલ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા હતા. કરુણા શુકલના નિધન પર મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સહિત કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution