29, જુલાઈ 2025
છોટા ઉદેપુર |
4059 |
છોટા ઉદેપુર જિલ્લામાં થઈ રહેલા અવિરત વરસાદના જેના કારણે કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. દરમિયાન વરસતા વરસાદ વચ્ચે સનાડા ગામે ભારે જર્જરીત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જ્યારે તેમની પત્નીનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ મદદ માટે સ્થળ પર દોડી આવ્યાં હતા અને ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢીને સારવાર માટે ખસેડાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુરમાંના સોમવારે મોડી રાત્રે સનાડા ગામમાં ડુંગળી ફળિયામાં એક ર્જજરીત મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. આ મકાનની અંદર સૂઈ રહેલા પતિ-પત્ની કાટમાળમાં દબાઈ ગયો હતો. જો કે, આ દુર્ઘટનામાં ગફુર રાઠવાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની પત્નીનો આબાદ બચાવ થયો છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.
છોટા ઉદેપુરમાં સંખેડાના ઝવેરી વાગામાં આવેલું ત્રણ માળનું જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.