કેશોદ ખાતે આહીર યુવા મંચ દ્વારા સમાજવાડી માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાત્રે માયાભાઈ આહીર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. એમાં આહીર સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા. આ દરમિયાન ડાયરામાં ૫૦૦ અને ૨ હજારની ગુલાબી ચલણી નોટોનો વરસાદ થયો હતો. અંદાજ મુજબ, એક કરોડથી પણ વધુ રૂપિયા ઊડ્યા હતા. લોકગાયક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરી રહ્યા હતા, ત્યારે સતત બે કલાક સુધી પૈસા ઊડ્યા હતા.