/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જિલ્લાના નવનિયુક્ત એસપી સંજય ખરાટને ઉષ્માભેર આવકાર અપાયો

અરવલ્લી,તા.૪ 

૨ ઓગષ્ટના રાત્રીએ ૭૪ આઈપીએસ અધિકારીઓની બદલી સાથે ગુજરાત કેડરના ૨૦૦૬ બેચના ૧૨ એસપી રેન્કના અધિકારીઓને ડીઆઈજી તરીકે બઢતી અપાઈ હતી. જેમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલની બદલી ગાંધીધામ કચ્છ (ઇસ્ટ) પોલીસ અધિક્ષક તરીકે કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા પોલીસવડા તરીકે વડોદરા ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવતા સંજય ખરાટની નિમણુંક કરવમાં આવી છે .મંગળવારે અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલે જિલ્લા પોલીસવડાનો ચાર્જ નવનિયુકત એસપી સંજય ખરાટને સુપ્રત કર્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસે એસપી મયુર પાટીલને “ગાર્ડ ઓફ ઓનર” સાથે વિદાય આપવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા સંજય ખરાટને “ગાર્ડ ઓફ ઓનર” સાથે ઉષ્માભેર આવકાર આપ્યો હતો એસપી મયુર પાટીલ અને પોલીસના ઉષ્માભેર આવકાર સાથે એસપી સંજય ખરાટે ચાર્જ સંભાળી લીધો હતો.જિલ્લા પોલીસવડા મયુર પાટીલને વિદાય આપવા અને નવનિયુક્ત એસપી સંજય ખરાટને આવકારવા અરવલ્લી જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ,અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution