દિલ્હી-

વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી. રાહુલ ગાંધીના આ પગલાંથી કેરળ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે તેના પર તપાસ કરવાની વાત કરી છે.

રાહુલ ગાંધીના આ પગલાં પર કોંગ્રેસ પાર્ટી એ વાતની તપાસ કરવાની વાત કરી રહી છે કે રાહુલ ગાંધીએ કેવી રીતે એક ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી નાખી. કોંગ્રેસ પાર્ટીના નેતાએ આ વાત જણાવી. કોંગ્રેસ વિધાયક આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે પાર્ટીના કાર્યકરો ગુસ્સામાં છે અને તેમણે પાર્ટીને આ અંગે ફરિયાદ પણ કરી છે.

કોંગ્રેસના ધારાસભ્ય આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે "જે રીતે ફરિયાદ સામે આવી છે, અમે યોગ્ય પગલું ભરીને તપાસ બેસાડી. તપાસ થઈ રહી છે કે આખરે આ કેવી રીતે બન્યું? તપાસ ખતમ થયા બાદ અમે આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સામે ઉઠાવીશું." કેન્દ્રીય વિદ્યાલયના નિયમો મુજબ, લોકસભા સાંસદ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં નામોની ભલામણ કરી શકે છે.