ચેમ્પિયન્સ ટ્રોફી માટે બજેટ મંજૂર કરવા અને ભારતની ટીમને પાકિસ્તાનમાં રમવા મોકલે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુલાઈ 2024  |   7920


નવી દિલ્હી:  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું કે તેણે ભારત સામે કોઈ વિદેશી ટી-૨૦ સિરીઝ રમવાનો પ્રસ્તાવ મૂક્યો નથી. હાલમાં પીસીબીનું સમગ્ર ધ્યાન ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પર છે. એવી વાતો ચાલી રહી હતી કે પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા જેવા વિદેશી સ્થળ પર ટી-20 સિરીઝની શક્યતા અંગે ચર્ચા કરશે, જો કે, 'આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી કારણ કે અત્યારે અમારા માટે સૌથી મોટો પડકાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન સારી રીતે કરવાનું છે અને આંતરરાષ્ટ્રીય મેચોનું અમારું શેડ્યૂલ પણ ખૂબ જ વ્યસ્ત છે, એવું માનવામાં આવે છે કે કોલંબોમાં યોજાયેલી આઈસીસીની બેઠકમાં પીસીબીએ મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂક્યો હતો. પ્રથમ, ચેમ્પિયન્સ ટ્રોફી માટે બજેટ મંજૂર કરવા અને બીજું, બીસીસીઆઇ તરફથી ખાતરી મેળવવા માટે કે ભારત તેની ટીમને પાકિસ્તાનમાં રમવા મોકલશે, 'આ અમારો મુખ્ય એજન્ડા છે. તેથી ભારત સાથે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય શ્રેણી અંગે વિચારવાનો પ્રશ્ન જ નથી. ભારતે 2012 થી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી બંધ કરી દીધી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2007 થી કોઈ ટેસ્ટ શ્રેણી રમાઈ નથી અને હાલમાં કોઈ શ્રેણી રમાય તેવી કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં હવે એવું માનવામાં આવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી પણ અનિશ્ચિત છે, કારણ કે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતીય ટીમ તેની મેચ પાકિસ્તાનની બહાર રમવા માંગે છે. આ પહેલીવાર નથી. જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન દ્વારા આયોજિત કોઈ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કર્યો હોય. એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ પોતાની મેચો શ્રીલંકામાં રમી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution