વીમાક્ષેત્રે નાણામંત્રીની ખાસ જાહેરાત કઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ફેબ્રુઆરી 2021  |   2178

મુંબઈ-

નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, હવે વીમાક્ષેત્રે 74 ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી આ મર્યાદા 49 ટકા સુધીની જ હતી. તેમણે કહ્યું હતું કે આમ છતાં, કંપનીઓ પર ભારતીય પ્રભુત્વ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, સરકાર વિનિવેશ માટે પ્રયાસો કરી રહી છે અને તેના ભાગરૂપે આ વર્ષે જ જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીનો નવો આઈપીઓ પણ લાવવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution