ધુળેટીના દિવસે મોરલીપુરા કેનાલમાં નાહવા ગયા બાદ ડૂબી ગયેલા પુત્રનો મૃતદેહ શોધવા માટેની વિનંતી અને આવેદનપત્ર આપવા માટે ૭૨ વર્ષીય વિધવા કલેકટર કચેરીએ પહોંચી હતી. આજવા રોડ નવજીવન સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષીય ઉષાબેનનો પુત્ર પ્રદીપ ૧૮મી તારીખે મિત્ર સાથે મોરલીપુરા કેનાલમાં ગયો હતો, જ્યાં ડૂબી ગયો હતો. પરંતુ ફાયર બ્રિગેડ પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધી શકતું નથી પરિણામે વૃદ્ધ માતા કલેકટર સમક્ષ મદદ માટે પહોંચી હતી.
Loading ...