/
કારચાલકે ફુગ્ગા વેચનાર શ્રમજીવીના પ વર્ષીય બાઈકને અડફેટમાં લેતાં મોત

વડોદરા, તા.૫

સાઈકલ પર ફુગ્ગાઓની ફેરી કરી પેટિયું રળતા શ્રમજીવીના પાંચ વર્ષીય બાળકને ફતેગંજ બ્રિજ પાસે ગત મોડી રાત્રે અજાણ્યા કારચાલકે અડફેટમાં લેતાં મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક ફરાર થઈ જતાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. આ બનાવની જાણ ફતેગંજ પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના કારેલીબાગ રાત્રિ બજાર પાસે શ્રમજીવી પરિવાર સાઈકલ ઉપર રંગબેરંગી ફુગ્ગાઓ અને પ્લાસ્ટિકના રમકડાં વેચવાની ફેરી કરી પોતાનું પેટિયું રળતો હતો. ગત મોડી રાત્રે આ શ્રમજીવી પરિવાર ફતેગંજ બ્રિજ તરફ જતો હતો તે વખતે બ્રિજ પરથી પૂરઝડપે આવી રહેલા કારચાલકે શ્રમજીવી પરિવારના પાંચ વર્ષીય બાળકને અડફેટમાં લેતાં તેનંુ મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution