અમદાવાદ-
દિલ્હી તા. 4 : દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનથી પહેલા સ્કુલો બંધ છે પણ હવે વેકસીન આવવાના સારા સમાચારના પગલે હવે 69 ટકા વાલીઓ પોતાના સંતાનોને સ્કુલ મોકલાવા રાજી થયા છે. ત્રણ મહીના પહેલા આ સંખ્યા માત્ર 34 ટકા હતી. વેકસીન આવવાને પગલે કેટલાક રાજયોએ સ્કુલો ફરી ખોલવા પર વીચારવાનુ શરુ કરી દીધુ છે. વેકસીનના આગમન અને સંક્રમણના ઘટાડાને લઇને વાલીઓ તેમના સંતાનોને સ્કુલ મોકલવા રાજી થયા છે. ભારતમાં એક લોકલ સર્કીલના ઓનલાઇન સર્વેમાં એ બાબત બહાર આવી છે કે 69 ટકા વાલી એપ્રિલ 2021 કે તે પછી બાળકોને સ્કુલ મોકલવા ઇચ્છે છે.
Loading ...