વડોદરા, તા.૧૬
શહેરના આજવા રોડ એકતાનગરના કલાકારે દીવાસળીમાંથી કલાકૃતિ તૈયાર કરી છે. કલાનગરીના કલાકાર હુસેનખાંએ પોતાની કલા વિશે કહ્યું કે, હું મારી કલા દ્વારા વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરવા માગું છું. પણ અફસોસ થાય છે કે મારી કલા લોકો જુએ છે અને વાહ-વાહી કરે છે. પણ કોઈએ મારી કલાને આગળ લઈ જવા માટે મને કોઈએ કોઈ મદદ નથી કરી, છતાં પણ મારા મનમાં દેશ માટે એક ઝનૂન છે કે હું સ્વબળે મારી કલા દ્વારા કંઈક અલગ કરતો રહ્યો છું. હાલ દેશમાં કોરોના વાઈરસના કારણે મંદીનું વાતાવરણ હોઈ હું મારી કલા પાછળ ખર્ચ કરવા પૈસા ક્યાંથી લાઉં? મેં એક નવો કીમિયો અજમાવ્યો. હવે વેસ્ટમાંથી બેસ્ટ બનાવું કે જેથી સામાન્ય ખર્ચમાં સુંદર આર્ટ કરી શકું. વેસ્ટમાંથી બેસ્ટ તરીકે પ્રથમ આર્ટ કર્યું છે. એક ઘોડાગાડી બનાવી છે. આર્ટ મારો શોખ છે અને આને વળગી રહેવું મારો દેશપ્રેમ છે. જાે રાજ્ય સરકાર દ્વારા મારા આર્ટના બદલામાં એક પુરસ્કારના રૂપમાં આર્થિક મદદ મળે તો હું મારી આર્ટને આગળ લઈ જવા સક્ષમ છું. મેં મારી આર્ટને આગળ લઈ જવા માટે મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખ્યો છે. આજે એક વર્ષથી વધુ સમય થવા આવ્યો પણ મને કોઈ જવાબ નથી મળ્યો. આશા રાખું છું કે આગળ મને કોઈ પ્લેટફોર્મ મળશે અને એકના એક દિવસ મારું સપનું સાકાર થશે.
Loading ...