લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026 |
1287
બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર, હુમાયુ કબીરે ગુરુવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ “તેના હિતોને અને વૈશ્વિક અર્થતંત્ર અને વેપારમાં થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને મક્કા કરારમાં જાેડાવાનું વિચારી શકે છે.” આ નિવેદનથી ઢાકા અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલા તણાવમાં બીજાે પરિમાણ ઉમેરાયો છે.
સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને મક્કામાં સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ત્રણેય દેશોમાંથી કોઈપણ પર કોઈપણ સશસ્ત્ર હુમલોને બધા પર હુમલો ગણવા માટે ઔપચારિક રીતે સંમતિ આપી હતી. હુમાયુ કબીરે તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે એમ પણ કહ્યું હતું કે, હવે મુસાફરી કરવાનો યોગ્ય સમય નથી. ઢાકા ઇસ્લામાબાદ સાથે પણ સંબંધો મજબૂત કરી રહ્યું છે, ખાસ કરીને વેપાર અને લોકો વચ્ચેના સંપર્કમાં. કબીરે આને સામાન્ય રાજદ્વારી જાેડાણ ગણાવ્યું. કબીરે કહ્યું કે ચીન સાથેના સંબંધો “નવી ઊંચાઈએ” પહોંચ્યા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભૂ-રાજકીય દબાણને ટાળીને બેઇજિંગ સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે.