રામમંદિર દાન ચોરી તપાસ માટે નવી SITની રચના : ૩IPS  અધિકારીઓને જવાબદારી સોંપાઈ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુલાઈ 2026  |   3366

યુપી સરકારે અયોધ્યામાં રામ મંદિરમાં કથિત ભંડોળ ચોરીની તપાસ માટે નવી SIT ની રચના કરી છે. નવી ટીમમાં તપાસની દેખરેખ રાખવા માટે ત્રણ વરિષ્ઠIPS  અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ખાસ તપાસ ટીમનું નેતૃત્વIG  કિરણ એસ કરશે. ટીમના અન્ય સભ્યોમાં અયોધ્યા DIG સોમેન વર્મા અને અયોધ્યાSSP ડૉ. ગૌરવ ગ્રોવરનો સમાવેશ થાય છે. સરકારે અધિકારીઓની આ નવી ટીમને તપાસ આગળ વધારવાની જવાબદારી સોંપી છે.

આ તપાસ અગાઉ લખનૌ કમિશનર વિજય વિશ્વાસ પંત અને વિશેષ સચિવ (નાણા) નીલ રતન કુમાર સહિત અન્ય અધિકારીઓની બનેલી SIT દ્વારા કરવામાં આવી રહી હતી. ન્યાયતંત્રના નવા નિર્દેશો બાદ, રાજ્યએ તે પેનલને બદલી નાખી છે. ૧૩ જુલાઈના રોજ સુનાવણી દરમિયાન જારી કરાયેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ તપાસનું પુનર્ગઠન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ, જેમાં ન્યાયાધીશ જાેયમલ્યા બાગચી અને વી. મોહન પણ સામેલ છે, ઉત્તર પ્રદેશ સરકારને એક વરિષ્ઠIPS અધિકારીની આગેવાની હેઠળ નવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ૨૭ જુલાઈ સુધીમાં તપાસની પ્રગતિ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો. કોર્ટના આદેશને અનુસરીને, સરકારે જીૈં્નું ઔપચારિક રીતે પુનર્ગઠન કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી નિયુક્ત ટીમે કેસની તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસ રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાન સંબંધિત નાણાકીય ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution