લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026 |
1980
ઝારખંડમાં JPSCની ૧૧મીથી ૧૩મી પરીક્ષા અને ફૂડ સેફ્ટી ઓફિસર પરીક્ષાને લઈ ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકાર તરફથી જાહેર આદેશ પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવી દીધી છે. કોર્ટના આ ચુકાદાથી પરીક્ષા સાથે જાેડાયેલા અભ્યાર્થીઓને મોટી રાહત મળશે. મામલાની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારના એ આદેશ પર સ્ટે લગાવી દીધો, જે અંતર્ગત બંને પરીક્ષાઓને લઈ કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને ૧૫ દિવસની અંદર જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજ્ય સરકારને ૧૫ દિવસની અંદર કાઉન્ટર એફિડેવિટ સાથે જવાબ દાખલ કરવાના નિર્દેશ આપી દીધા છે. આ ર્નિણય બાદ બંને પરીક્ષા મામલાના અરજીકર્તાઓને તાત્કાલિક પ્રભાવથી કામ પર પરત ફરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગરબડને લઈ ૨૬ દિવસથી ચાલી રહેલા આંદોલન બુધવાર સ્થગિત થઈ ગયું હતું. સરકારે પ્રદર્શનકારીઓ સાથે કેટલીય વખત વાત કર્યા બાદ ૨૦૧૪થી અત્યાર સુધી ઝારખંડ લોક સેવા આયોગ, ઝારખંડ કર્મચારી ચયન આયોગ અને એક આઉટસોર્સ એજન્સી દ્વારા આયોજિત ૨૨ ભરતી પરીક્ષાઓને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ ઉપરાંત ૨૩ અન્ય પરીક્ષાઓની વચ્ચે તપાસ કરવાના આદેશ આપ્યા છે. પણ સરકારના આ ર્નિણયથી એક નવો વિવાદ ઊભો થઈ ગયો હતો. લગભગ ૨૦૦૦ સફળ અભ્યર્થી, ખાસ કરીને JSSC સંયુક્ત સ્નાતક સ્તરીય પરીક્ષા દ્વારા સરકારી નોકરી મેળવનારા ઉમેદવાર, પરીક્ષા રદ કરવાનો વિરોધ કરી રહ્યા છે. આ અભ્યર્થીઓનું કહેવું છે કે તેમણે પરીક્ષા મહેનત અને યોગ્યતાના આધાર પર પાસ કરી છે. જાે પરીક્ષામાં કોઈ પણ સ્તરની ગરબડ થઈ છે તો દોષિત અભ્યર્થીઓ અને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જાેઈએ, પણ તમામ સફળ ઉમેદવારોને તેનું પરિણામ કેમ ભોગવવાનું? કેટલાય સફળ અભ્યર્થીઓએ રાજ્ય સરકારના ર્નિણય વિરુદ્ધ પડકાર આપતા ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું છે કે પરીક્ષા પાસ કર્યા બાદ તેમની નિયુક્તિ પણ થઈ અને કેટલાય અભ્યર્થી અલગ અલગ સરકારી વિભાગમાં કામ પણ કરી રહ્યા છે.