રાજકોટથી ગુમ સગીરાની કડીઓ નેપાળ સુધી કેવી રીતે પહોંચી? હાઇકોર્ટમાં મોટો ખુલાસો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026 | 1881
રાજકોટથી ગુમ થયેલી 17 વર્ષની સગીરાની તપાસ હવે નેપાળ સુધી પહોંચી હોવાના સંકેતો સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સમાંથી નેપાળ તરફ મહત્વપૂર્ણ કડીઓ મળ્યાની માહિતી આપી હતી. જોકે, સગીરા ખરેખર નેપાળમાં છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. કોર્ટે પોલીસને તપાસ આગળ વધારી પ્રગતિ અંગે માહિતી રજૂ કરવા સમય આપ્યો છે.