ગુજરાતમાં જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં જ્યારે મથુરા સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભાદરવા મહિનામાં કેમ ઉજવાય છે? તેની પાછળ હિંદુ પંચાંગની અમાંત અને પૂર્ણિમાંત પદ્ધતિ જવાબદાર છે. ગુજરાતમાં સામાન્ય રીતે અમાંત પદ્ધતિ પ્રચલિત છે, જ્યારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પૂર્ણિમાંત પદ્ધતિ જોવા મળે છે. તેથી એક જ તિથિ અલગ પંચાંગમાં અલગ મહિનાના નામથી ઓળખાય છે. જન્માષ્ટમીની આ રસપ્રદ ગણતરી પાછળનું રહસ્ય જાણો.