મુંબઇ
ટીવી ફેમિલી ડ્રામા શો 'શાદી મુબારક' સતત દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહ્યું છે. શોમાં રાજશ્રી ઠાકુર અને માનવ ગોહિલની જોડી લોકોને ગમી છે અને હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રાજશ્રી શોમાં નહીં દેખાય. એક્ટ્રેસે હાલમાં જ છેલ્લા એપિસોડનું શૂટિંગ કરીને શો છોડવાનો નિર્ણય લીધો છે. તેનું કારણ પ્રોડ્યુસર સાથેનો મતભેદ ગણાવવામાં આવી રહ્યું છે.
હાલમાં જ આપેલા સ્પોટબોયના રિપોર્ટ અનુસાર 'દેવી આદિ પરાશક્તિ' શોમાં આદિ પરાશક્તિનો રોલ પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ રતિ પાંડે હવે રાજશ્રી પાંડેને રિપ્લેસ કરી દીધી છે. શો સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું, રાજશ્રી જે શોમાં પ્રીતિ જિન્દલનો રોલ નિભાવી રહી છે તેને શનિવારે શોનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજશ્રી અને શોના પ્રોડ્યુસર શશી મિત્તલ વચ્ચે થોડા મતભેદ હતા. ત્યારબાદ રાજશ્રીએ ખુદ જ શો છોડવાનો નિર્ણય લીધો અને રાતો રાત તેની જગ્યાએ રતિ પાંડેને લાવવામાં આવી છે.
પોર્ટલ સાથેની વાતચીતમાં રાજશ્રીએ શો છોડવાનું કારણ તેની હેલ્થ ગણાવી છે. એક્ટ્રેસે કહ્યું કે, આ નિર્ણય શો સાથે જોડાયેલો નથી. હું શોમાં ઘણી ખુશ હતી. અમુક સરખું ન થઇ શક્યું કારણકે શો કરવો મારા માટે હેક્ટિક થઇ ગયું હતું. તેનાથી મારી તબિયત પર અસર થતી હતી. જો તમે ક્યાંય કામ કરી રહ્યા છો તો તમારે પુરી તાકાત લગાવી જોઈએ જે હાલ મારા માટે શક્ય નથી. શો છોડવાનો નિર્ણય મારો જ હતો. તેમણે મારા નિર્ણયનું સન્માન કર્યું જે ઘણું સારું છે.
પ્રોડ્યુસર સાથેના મતભેદને લઈને એક્ટ્રેસે કહ્યું કે તેમની વચ્ચે કોઈ ભેદભાવ નથી. જ્યારે પ્રોડ્યુસર ખુદ તેને સમજાવીને શોમાં કાયમ રાખવા માટે પ્રયાસ કરી રહ્યા હતા જોકે હેલ્થને કારણે આ શક્ય ન થઇ શક્યું.
Loading ...