અમદાવાદ એરપોર્ટ પર નવું ઉડાનયાત્રી કાફે શરૂ : રૂ.10થી નાસ્તો મળશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, માર્ચ 2025  |   14454

અમદાવાદ, તા.8

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર ઉડાનયાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં તે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ટર્મિનલ ૧ના ચેક-ઇનહોલ સ્થિત નવું ઉડાનયાત્રી કાફે મુસાફરોને માત્ર ૧૦ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે. ઉડાનયાત્રી કાફેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વ્યાજબીભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તે હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એકવ્યવહારુ વિકલ્પની છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતુ કે "અમદાવાદ એરપોર્ટ પર અમારા મુસાફરોને બજેટ-ફ્રેન્ડલી નાસ્તા અને નાસ્તાની સુવિધા પૂરી પાડનાર ભારતના પ્રથમ ખાનગી એરપોર્ટ બનવાનો અમને આનંદ છે. ભારત સરકારના વિઝનને અનુરૂપ અમે હવાઈ મુસાફરીને સસ્તી અને મુસાફરો માટે સુલભ બનાવવાના મિશનને આગળ વધારવા સક્ષમ છીએ".

ઉડાનયાત્રી કાફેના લોન્ચ સાથે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હવે ઉડાનને વધુ સમાવિષ્ટ બનાવવાના સરકારના મિશન સાથે વ્યાજબી ભાવે ઉચ્ચ-ગુણવત્તાવાળા નાસ્તાનો આનંદ માણી શકે છે. આ પહેલ સસ્તી અને ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાના એરપોર્ટના પ્રયાસો દર્શાવે છે. તે મુસાફરોના સંતોષ અને સુવિધામાં નોંધપાત્ર વધારો કરે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution