બનાસકાંઠા : કાકરેજમાં લોહીયાળ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. નજીવી બાબતે બે સમાજના લોકો સામ સામે આવી ગયા અને ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાઈ ગયો છે. આ ઘટનામાં એકનું મોત તથા પાંચ લોકો ઘાયલ થયા છે. કાંકરેજ તાલુકાના કાકર ગામે ગઇકાલે જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે રીક્ષાની સાઈડ આપવા જેવી નજીવી બોલાચાલી બાદ સમાધાન વખતે બન્ને જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બંને જૂથના લોકો સામસામે તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા ૬ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં આ મામલે ગુલાબસિંહ વાઘેલા અને સુરેશજી ઠાકોરે સામસામે ફરીયાદ નોંધાવી હતી. ત્યારે આજે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચેલાજી ઠાકોરનુ ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. એકનું મોત થયાના સમાચાર બાદ ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ બની હતી. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કડક બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે અને શિહોરી પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Loading ...