/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન મોદીની વરણી

ગાંધીનગર

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી છે. આજે મોડી સાંજે સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન માટે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. આ વર્ચ્યૂઅલ બેઠકમાં આ મહત્વપૂર્ણનો ર્નિણય લેવામાં આવ્યો તો. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન બન્યા છે.

ગુજરાતના જ નહિ દેશભરમાં પ્રસિદ્ધ એવા સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ આરુઢ હતા. પરંતુ તાજેતરમાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલના નિધન પછી આ જગ્યા ખાલી પડી હતી.

ચેરમેનની વરણી કરવા માટે આજે સાંજે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની એક વર્ચ્યૂઅલ બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યૂઅલ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના દિગ્ગજ નેતા અને માર્ગદર્શક મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના સભ્ય છે અને આ ટ્રસ્ટ સોમનાથ મંદિર અને પ્રભાસ ધાર્મિક તીર્થ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution