/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

SCનો સૌથી મોટો આદેશ, જાે બંધક સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો કિડનેપરને આજીવન કેદની સજા નહીં

દિલ્હી-

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જાે કિડનેપર બાળકને ખંડણી માટે બંધક બનાવે પરંતુ તે દરમિયાન તેની કાળજી રાખે અને પૈસા પડાવવા માટે તેને મારવાની ધમકી ના આપે અને તેને કોઈ નુકસાન ના પહોંચાડે તો ઈન્ડિયન પીનલ કોડના સેક્શન ૩૬૪એ હેઠળ તેને આજીવન કેદની સજા ના સંભળાવી શકાય.

કાયદા અને તેને લાગતા વળગતા ચુકાદાઓનું વિશ્લેષણ કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ જણાવ્યું કે, અમે તે નિરાકરણ પર આવ્યા છીએ કે સેક્શન ૩૬૪એ હેઠળ દોષી સાબિત કરવા માટે નીચેની શરતો પૂરી થવી જાેઈએ- ૧) કોઈ પણ વ્યક્તિનું અપહરણ કરવું અથવા તેને ઉઠાવી જવી તેમજ ત્યારપછી તેને ડિટેન્શનમાં રાખવું. ૨) મારવાની ધમકી આપવી અથવા તે વ્યક્તિને નુકસાન પહોંચાડવું ૩) સરકાર અથવા કોઈ ફોરેન સ્ટેટ અથવા સરકારી સંસ્થા અથવા કોઈ વ્યક્તિને ખંડણીની રકમ માટે અથવા અન્ય કોઈ કાર્ય કરવા માટે ફરજ પાડવી અને સામે બંધક વ્યક્તિને નુકસાન પહોંચાડવું.

જાે વ્યક્તિ સેક્શન ૩૬૪એ હેઠળ ગુનેગાર સાબિત થાય તો તેને આજીવન કેદ જેવી સખત સજા સંભળાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની પીઠે જણાવ્યું કે, પહેલી શરતની સાથે સાથે બીજી અથવા ત્રીજીમાંથી કોઈ એક શરત લાગુ થવી જરુરી છે. જાે આ શરતો લાગુ નથી થતી તો પછી આરોપી વિરુદ્ધ ૩૭૪એ અંતર્ગત કાર્યવાહી ના કરી શકાય. ઉલ્લેખનીય છે કે સેક્શન ૩૬૪એનો સમાવેશ આઈપીસીમાં ૧૯૯૩માં કરવામાં આવ્યો હતો, તે સમયે ખંડણી માટે અપહરણના કેસ ઘણાં વધી ગયા હતા અને ખાસ કરીને આતંકવાદી સંગઠનો દ્વારા બંધક બનાવવાના કેસ પણ વધી ગયા હતા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution