શહેરના અટલાદરા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના ૩૦ વધુ સંતોએ વહેલી સવારે બાબાજીપુરા પ્રાથમિક શાળામાં સાથે જઈને મતદાન કર્યું હતું. જ્ઞાનવત્સલ સ્વામી, કોઠારી સ્વામી ભાગ્યસેતુ સ્વામીએ પણ મતદાન કર્યું હતું અને રાષ્ટ્રનિર્મામણ અને સમાજના ઉત્થાનમાં આપણે ભાગીદાર થઈએ એ આપણી તમામની ફરજ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ત્યારે સ્વામીનારાયણ મંદિરના સંતો અને સ્ટાફ સાથે મતદાન કરવા આવ્યા હતા. દરેક નાગરિકને અપીલ છે કે આજના દિવસે અવશ્ય મતદાન કરીએ તેવી અપીલ કરી હતી.
Loading ...