મુંબઇ

પવિત્ર રિશ્તા આ વખતે સુશાંત સિંહ રાજપૂત વગર આવશે. કુશાલ ઝવેરી જેણે સુશાંત અને અંકિતા લોખંડે સ્ટારર ટીવી શો 'પવિત્ર રિશ્તા'ને ડિરેક્ટ કર્યો હતો, દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન તેણે સિરિયલના કમબેકનો ખુલાસો કર્યો. કુશાલ હાલ તેની આગામી વેબ સિરીઝ 'ક્રેશ' પર કામ કરી રહ્યા છે. કુશાલે જણાવ્યું કે વેબ સિરીઝ ડિરેક્ટ કરવામાં સૌથી સારી વાત એ છે કે તમે સ્ટોરીને શરૂઆતથી લઈને અંત સુધી જાણો છો.

કુશાલ પવિત્ર રિશ્તાને ઘણા વર્ષો સુધી ડિરેક્ટ કરી ચૂક્યો છે. એકતા કપૂર આને ફરીથી સ્ક્રીન પર લાવવાના પ્લાનિંગમાં છે જેનાથી અંકિતા લોખંડે કમબેક કરશે. આ બાબતે કુશાલ જણાવે છે, 'જી હા, હું વાતથી જાણકાર છું કે પવિત્ર રિશ્તા સ્ક્રીન પર ફરી આવવાની છે. અંકિતાએ મને કોલ કરીને જણાવ્યું કે તેણે આ પ્રોજેક્ટ સાઈન કરી લીધો છે. મને આ સાંભળીને ઘણી ખુશી થઇ કારણકે પવિત્ર રિશ્તા શો આજે પણ અમારા બધાની ઘણો ક્લોઝ છે. ખરેખર તે તેના ટાઈમનો ઘણો સારો શો હતો.'

તે આગળ જણાવે છે, 'મારા સિવાય અન્ય ડિરેક્ટર્સ પણ આ શો સાથે જોડાયા હતા. જો અવસર મળ્યો તો ફરીથી આ પ્રોજેક્ટનો હિસ્સો બનવા ઈચ્છીશ. જો ડિરેક્ટ કરવાની તક ન મળી તો તેને જોવા જરૂર ઈચ્છીશ. અંકિતા ગજબની એક્ટ્રેસ છે, તે જે પણ કરે છે, પોતાનું 100% આપે છે. સાથે જ શોના ફેન્સ જરૂર ખુશ થશે.' સુશાંત સિંહ રાજપૂત વિશે પૂછતા કુશાલે કહ્યું કે તે તેને ઘણો મિસ કરશે. પવિત્ર રિશ્તા 2.0 અલ્ટ બાલાજી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

ક્રેશ વિશે કુશાલે જણાવ્યું કે, 'વેબ સિરીઝ વિશેની સૌથી સારી વાત એ છે કે તમે સ્ટોરીને શરૂઆતથી અંત સુધી જાણો છો. તમને વિચારવા અને એક્ટર્સ સાથે વર્કશોપ કરવાનો સમય મળે છે, સાથે કામ કરવા માટે એક સારું બજેટ પણ છે જે ટીવી શોની સરખામણીમાં વધારે લાભદાયક સાબિત થાય છે. આ સિરીઝની સ્ટોરી મુંબઈ શહેરની સ્ટોરીની આસપાસ ફરે છે. હું પર્સનલી મુંબઈથી છું અને આ સ્ટોરીને ખુદ સાથે ઘણી હદે રીલેટ કરું છું. અંદાજે ત્રણ વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યો છું જેને લઈને ઘણો ઉત્સુક છું. મારા પર ફરી ભરોસો કરવા માટે એકતાનો દિલથી આભાર.'