અરવલ્લી,તા.૧
મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનર ટોળકીએ ગામમાં આતંક મચાવી દીધો હતો. આ ટોળકીમાં રહેલા બે વાનરોને હડકવાની અસર થઇ હોય તેમ બે દિવસમાં ૫ લોકોને અને ૧૦થી વધુ પશુઓને બચકા ભરતા અને ગામમાં અડિંગો જમાવી જતા આવતા લોકો ઉપર હુમલા કરી તેમને પાડી દેતી હતી. જેના કારણે કેટલાક લોકોને નાની મોટી ઇજા થઇ હતી.કપિરાજનો આતંક વધી જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.વનવિભાગ ટીમે અને દયા ફાઉન્ડેશનની મદદથી બંને કપિરાજને ઝડપી પાડવા ગામમાં પાંજરા મુકતા હુમલાખોર કપિરાજ તેમાં કેદ થઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કપિરાજે છેલ્લા ત્રણ દિવસમાં ૫ વ્યક્તિઓને બચકા ભરીને ઘાયલ કર્યા હતા.જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો હતો.અંતે કપીરાજને વનવિભાગ દ્વારા બન્ને કપિરાજને પાંજરે પુરવામાં આવ્યા હતા. આ અંગે વનવિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ કપિરાજને અરવલ્લીના જંગલોમાં છોડી મુકવામાં આવશે.પાંજરે પુરોયેલા કપિરાજને જોવા માટે ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.
Loading ...