દિલ્હી,
કોરોનાવાયરસ સંકટ વચ્ચે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબીનેટની બેઠકમાં વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ના યોજનાને નવેમ્બર સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. નાણાં પ્રધાને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેબીનેટ મીંટીગંમા વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ના યોજના નવેમ્બર સુધી વધારવાની મંજૂરી આપી છે. આ પગલાથી 81.09 કરોડ લોકોને સતત આઠ મહિના સુધી મફત અનાજ (5 કિગ્રા /પ્રતિ વ્યક્તિ કિલો) આપવામાં આવે છે.
Loading ...