/
નર્મદા જિ.માં કોરોનાના નવા ૬ પોઝિટિવ કેસો નોંધાયા - કુલ આંકડો ૧૨૪૩ થયો

રાજપીપળા

ર્મદા જિલ્લામાં એન્ટીજન ટેસ્ટમાં ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટમાં ૬૪૮, એન્ટીજન ટેસ્ટમાં ૫૪૯ અને ટ્રૂ નેટ ટેસ્ટમાં ૪૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૨૪૩ નોંધાવા પામી છે રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧ દરદી અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૫ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૫૬૭ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫૮૪ દરદીઓ સહિત કુલ-૧૧૫૧ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૩૯ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૦ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૪૦ દરદીઓ સહિત કુલ-૮૯ દરદીઓ સારવાર હેઠળ છે. આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે.આજે એન્ટીજન ટેસ્ટના ૧૩૫૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.અત્રે ઉલ્લેખનિય છે કે, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને આજે તા. ૨૮ મી ઓકટોબર ના રોજ કોરોનાના કુલ-૧૨૨૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે તે પૈકી ૦૫ કેસ પોઝિટીવ નોંધાયા છે. જ્યારે આ ઉજવણી સંદર્ભે કેવડીયા ખાતેના આજદિન સુધી કુલ-૭૦૬૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution