સ્વતંત્રતા દિવસની ઉજવણી, કોણ કયાં ધ્વજ વંદન કરશે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2021  |   79596

અમદાવાદ--

ભારત દેશમાં ૧૫મી ઓગસ્ટનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૯૭ના વર્ષમાં ૧૫મી ઓગસ્ટના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. આઝાદાની લડતમાં સફળતા મેળવી સ્વતંત્રતા હાંસલ કરી હતી. આ ખૂશીમાં ભારતમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે. જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તીરંગો ફરકાવે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી

સ્વતંત્રતા દિવસ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનાવવામાં આવે છે .સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિએ "રાષ્ટ્રનું સરનામું" આપે છે.તેમજ ૧૫ મી ઓગસ્ટ ના રોજ વડા પ્રધાન દિલ્હીનો લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ (તિરંગો) ફરકાવે છે. ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . ભારતીય રાષ્ટ્રગીત, " જન ગણ મન " ગવાય છે. ભાષણ પછી ભારતીય સશસ્ત્ર દળ અને અર્ધ સૈન્ય દળોના વિભાગોના માર્ચ પાસ્ટ આવે છે . પરેડ અને તસ્વીરો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે. આવી જ ઘટનાઓ રાજ્યની રાજધાનીઓમાં થાય છે જ્યાં વ્યક્તિગત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે, ત્યારબાદ પરેડ અને અનુક્રમણિકા અનુસાર થાય છે. દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. મુખ્ય સરકારી ઇમારતો મોટેભાગે લાઇટના તારથી શણગારવામાં આવે છે. દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

કોણ કયાં ધ્વજ વંદન કરશે

સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે કે. રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ-2021ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અરવલ્લી અને મહીસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution