અમદાવાદ-
“મુખ્યમંત્રી બાલ સેવા યોજના” અંતર્ગત કોરોનોમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં નાણાકીય સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લામાંથી કોરોનામાં અનાથ-નિરાધાર થયેલ બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તેમને રુ. ૪ હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાંથી આવા ૪૨ બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પ્રત્યેક બાળકને માસિક રુ. ૪૦૦૦ની સહાય કરવામાં આવે છે. આ તમામ બાળકોના બેંક એકાઉન્ટમા નાણાકીય સહાય જમા કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રતિકાત્મકરૂપે ૧૨ અનાથ અને નિરાધાર બનેલાં બાળકોને સહાય હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનારા બાળકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવી અનાથ-નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાલસેવા યોજના હેઠળ નાણાકીય સહાય ચૂકવી છે, જે બાળકોના પાલન-પોષણ અને ઉછેરમાં ઉપયોગી થશે” જિલ્લા કલેકટરએ કોરોનાકાળમાં અનાથ અને નિરાધાર બનેલા બાળકોને હરહંમેશ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments