બાલાસિનોર, તા.૨૯ 

મહિસાગર જિલ્લામાં છેલ્લાં કેટલાંય દિવસોથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વહીવટી તંત્ર કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું હવે ધીમે ધીમે લાગી રહ્યું છે. કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે.

આજે બાલસિનોરમાં ૯, લુણાવાડા શહેરમાં ૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨, સંતરામપુરમાં ૪ અને વિરપુરમાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો હતો. હજુ મંગળવારે જ બાલાસિનોર નગરમાં નગરપાલિકા પ્રમુખ, નોટરી વકીલ સહિત ૫ નવાં કેસ નોંધાયા હતાં, જ્યારે બાલાસિનોર સહિત જિલ્લામાં ૧૯ નવાં કેસોનો ઉમેરો થયો હતો. આજે વધુ ૨૧ કેસ એકસાથે આવતાં સનસનાટી મચી ગઈ છે. મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો ૩૭૫ પર પહોંચી ગયો છે.