લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026 |
6237
માત્ર દોઢ કલાકના મુશળધાર વરસાદે ગુરુગ્રામને તળાવમાં ફેરવી દીધું. નેશનલ હાઇવે ૪૮ થી રહેણાંક વસાહતો સુધી, બધે પાણી હતું. વરસાદે ડ્રેનેજ સિસ્ટમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીનો અભાવ ઉજાગર કર્યો. ગટર અને પીવાના પાણીની પાઇપલાઇનના અધૂરા બાંધકામને કારણે પણ સમસ્યાઓ ઊભી થઈ. આ અધૂરા બાંધકામ પ્રોજેક્ટ્સ શહેરના વિવિધ સ્થળોએ વાહનચાલકો અટવાઈ ગયા. દ્ગૐ-૪૮ પર સનબીમ કંપની પાસે મુખ્ય માર્ગનો એક ભાગ ખાડામાં પડી ગયો, જેના કારણે બે લેન બંધ થઈ ગઈ. જેના કારણે દિલ્હી-જયપુર હાઇવે પર ૧૦ થી ૧૨ કિલોમીટરનો ટ્રાફિક જામ થયો. સ્કૂલના બાળકો અને ઓફિસ જનારાઓને સૌથી વધુ અસર થઈ. રજાઓ દરમિયાન પડેલા આ વરસાદથી બાળકો અને વાલીઓ કલાકો સુધી રસ્તાઓ પર ફસાયા. બાદશાહપુર સહિત ઘણી સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં, લોકોના ડ્રોઇંગ રૂમમાં પાણી ઘૂસી ગયા. આ અંધાધૂંધીએ મિલેનિયમ સિટીના સ્માર્ટ હોવાના દાવાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મંગળવારે માત્ર દોઢ કલાકના વરસાદથી મિલેનિયમ સિટી (ગુરુગ્રામ) કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.
પૂણેમાં ભારે વરસાદ વચ્ચે બે માળની ઈમારત ધરાશાયી
પુણે : મહારાષ્ટ્રના પુણે શહેરના સોમવાર પેઠ વિસ્તારમાં આવેલી બે માળની એક ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ દળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સોમવાર પેઠના ધાનગર ગલ્લી વિસ્તારમાં આવેલી જૂની બે માળની ઈમારત અચાનક તૂટી પડી હતી. ઈમારત ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાેકે, સમયસર લોકોને બહાર કાઢી લેવાતા અથવા ઈમારત ખાલી હોવાને કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમોએ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને કોઈ વ્યક્તિ અંદર ફસાઈ ગઈ છે કે નહીં તેની સઘન તપાસ કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યો હતો જેથી કોઈ અન્ય દુર્ઘટના ન સર્જાય. પ્રાથમિક માહિતી અનુસાર ઈમારત જૂની હોવાના કારણે અથવા સતત વરસાદની અસરથી નબળી પડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.