પોતાને કુશળ શાસક ગણાવતા ભારતીય જનતા પાર્ટીએ ૨૫ વર્ષના શાસનમાં વડોદરાને વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન ઊભી કરી આપી. આ માટે ખર્ચાયેલા (કે ખિસ્સામાં મુકાયેલા) કરોડો રૂપિયા સાચા અર્થમાં પાણીમાં ગયા. શહેરના તળાવો સ્વચ્છ કરવામાં પણ લાખો-કરોડોનો ખર્ચ અને છતાં તળાવોની ગંદકી યથાવત્ અને ગણેશ વિસર્જનથી ગંદકી સર્જાવાનું બહાનું આગળ કરી કૃત્રિમ તળાવો બનાવી ખિસ્સા ભરવાનો એક વધુ માર્ગ શોધી કઢાયો. વરસાદે (દુઃ)શાસન સર્જીત તળાવ અને કુશાસન સર્જીત તળાવની બંને વાસ્તવિકતા એકસાથે નગરજનો સમક્ષ આણી મુકી છે.(તસવીર કેયુર ભાટીયા)
Loading ...