ન્યૂ દિલ્હી

જે લોકો હજુ સુધી પોતાનું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શક્યા નથી તેના માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. આવતવેરા વિભાગે ટ્‌વીટ કરી જાણકારી આપી છે. પેનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારીને ૩૦ જૂન, ૨૦૨૧ કરી દેવામાં આવી છે. પહેલા આ તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૧ હતી. કોરોના વાયરસ મહામારીને કારણે ઉભી થયેલી મુશ્કેલીને જોતા સરકારે આ ર્નિણય લીધો છે.