પૂર્વ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામજન્મ ભૂમિ ટ્ર્સ્ટના સીઈઓ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, સપ્ટેમ્બર 2026  |   3663

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અંગે ર્નિણય લેવામાં આવ્યો છે. એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને ટ્રસ્ટના સીઈઓ તરીકે ચૂંટવામાં આવ્યા છે. બુધવારે અયોધ્યામાં મણિરામદાસ છાવણી ખાતે મહંત નૃત્ય ગોપાલદાસની અધ્યક્ષતામાં મળેલી ટ્રસ્ટની બેઠકમાં આ ર્નિણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. બેઠકમાં ટ્રસ્ટના મુખ્ય અધિકારીઓ તેમજ આમંત્રિત સભ્યો હાજર રહ્યા હતા.

ટ્રસ્ટની બેઠકમાં નવા મહાસચિવની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગોવિંદ દેવ ગિરી ટ્રસ્ટના નવા મહાસચિવ બનશે. બેઠકમાં ટ્રસ્ટના ત્રણ નવા સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. નવા નિયુક્ત લોકોમાં અયોધ્યાના મદન મોહન પાંડે, દિલ્હીના મહેશ ભાગચંદકા અને અયોધ્યાના ર્નિમલા યાદવનો સમાવેશ થાય છે. રામ મંદિર ટ્રસ્ટના કાર્યકારી મહાસચિવ કૃષ્ણ મોહને જણાવ્યું હતું કે ૧૬ લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા, મેજર જનરલ સંજય પ્રતાપ સિંહ અને શ્રુતિ ભારદ્વાજ સહિત ત્રણ નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. સીઈઓ પદ માટે જીતેન્દ્ર મિશ્રાનું નામ નક્કી થઈ ગયું છે. રામ મંદિરના ખજાનચી ગોવિંદ દેવ ગિરીને નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કૃષ્ણ મોહને જણાવ્યું હતું કે અયોધ્યાના રહેવાસી મદન મોહન પાંડે વ્યવસાયે વકીલ છે અને રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં રામ લલ્લાનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની હિમાયતી ટીમનો ભાગ હતા.ડૉ. ર્નિમલા યાદવ શિકોહાબાદના રહેવાસી છે. તેમની પાસે હિન્દી અને સંસ્કૃતમાં માસ્ટર ડિગ્રી છે અને તેમને ૧૫ વર્ષનો યુનિવર્સિટીનો અનુભવ છે. ગૃહ સચિવ સંજય પ્રસાદ ઓનલાઈન મીટિંગમાં જાેડાયા. બીજી મીટિંગ બપોરે ૩ વાગ્યે શરૂ થઈ હતી, અને તેમાં રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પણ હાજરી આપી હતી.દેવરિયા જિલ્લાના ભાટપર રાની વિસ્તારના ભોપતપુરા ગામના મૂળ વતની એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને ૬ ડિસેમ્બર, ૧૯૮૬ના રોજ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું. તેમની લાંબી લશ્કરી કારકિર્દી દરમિયાન, તેમણે ૧૮થી વધુ પ્રકારના વિમાન ઉડાવ્યા અને ૩,૦૦૦ કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો. તેમણે કમાન્ડર-ઇન-ચીફનું પદ પણ સંભાળ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution