દિલ્હી-
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા, બે લાખને પાર થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના, બે લાખ 17 હજાર 353 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ 1,42,91,917 કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી, 1185 લોકોનાં મૃત્યુ થયા છે. આ સાથે, આ રોગથી મૃત્યુઆંક 1,74,308 પર પહોંચી ગયો છે.
શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે,જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં 15,69,743 સક્રિય દર્દીઓ છે. સાથે એક રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 1,25,47,866 દર્દીઓ સ્વસ્થ પણ થઇ ગયા છે. જ્યારે દેશનો રીકવરી દર. 87.79 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 14 લાખથી વધુ પરીક્ષણો-દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.4 લાખ થી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઈસીએમઆરના અનુસાર, 15 એપ્રિલના રોજ 14,73,210 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આજ સુધીમાં દેશમાં કુલ 26,34,76,625 પરીક્ષણો કરવામાં આવ્યા છે.
Loading ...