ઈસ્લામાંબાદ-

હુરિયત નેતા ગિલાનીને ઈમરાન ખાને પાકિસ્તાની ગણાવ્યા હતા, નિધન પર અડધી કાઠીએ ફરકાવ્યો ઝંડો પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવ્યાપાકિસ્તાનનો ઝંડો અડધી કાઢીએ ફરકાવાયો અને એક દિવસનો શોક જાહેર કરાયોગિલાનીને મળી ચૂક્યું છે પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માનપીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવ્યાજમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન પર પાકિસ્તાન સીધુ ન રહ્યુ. અહીં પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવતા દેશનો ઝંડો અડધી કાઢીએ ફરકાવ્યો. ઈમરાને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. કહ્યું કે ગિલાનીનું 92 વર્ષની ઉંમરે શ્રીનગરમાં બુધવારે રાતે નિધન થયુ હતુ. ગુરુવારે તેમને સુપુર્દે-એ-ખાક કરી દેવામાં આવશે. સૈયદ અલી શાહ પાકિસ્તાનનો ઝંડો અડધી કાઢીએ ફરકાવાયો અને એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ટ્વીટ કરી હતી લખ્યું હતું કે, "કાશ્મીર નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધનન સમાચાર સાંભળી દુઃખી છું. ગિલાની જીવનભર પોતાના લોકો અને તેમના આત્મનિર્ણયના અધિકાર માટે લડતા રહ્યા. ભારતે તેમને કેદ રાખ્યા અને પ્રતાડિત કર્યા હતા". ઈમરાને કહ્યું કે," અમે પાકિસ્તાનમાં તેમના સંઘર્ષને સલામ કરીએ છીએ. તેમના શબ્દોને યાદ કરીએ છીએ. અમે પાકિસ્તાની છીએ અને પાકિસ્તાન અમારું છે. પાકિસ્તાનનો ઝંડો અડધો ઝુકેલો રહેશે અને અમે એક દિવસનો સત્તાવાર શોક મનાવીશું".