દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજઘાટ નજીક 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હીના 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ વિદ્યાર્થીઓ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​શનિવારે 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દિલ્હીના 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

આરએસકે સ્થિત ઓડિટોરિયમમાં વડાપ્રધાને 'દર્શક 360 ડિગ્રી'નો એક અનોખો ઓડિઓ-વિઝ્યુઅલ કાર્યક્રમ જોયો. જેમાં ભારતના સ્વચ્છતાના ઇતિહાસમાં લોકોની આદતોને બદલવા માટેના સૌથી મોટા અભિયાનની યાત્રા દર્શાવવામાં આવી હતી.