દિલ્હી-

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, ભારતે એક ટેરિફ વોલ ઊભી કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ભારત જાે ગ્લોબલ સ્પાલઇ ચેનનો ભાગ બનવા માગે છે તો તેણે આ પ્રકારની ટેરિફ વૉલથી બચવું જાેઇએ. તેની સાથે જ પૂર્વ ગવર્નરે કહ્યું કે, તેમની સમજમાં એ નથી આવી રહ્યું કે સરકારના આર્ત્મનિભર ભારત અભિયાનનો અર્થ શું છે.

રાજને કહ્યું કે, તેમને હજુ સુધી એ ક્લિઅર નથી થઇ કહ્યું કે આખરે મોદી સરકારનો આર્ત્મનિભર ભારતનો અર્થ શું છે. મોદી સરકારના આર્ત્મનિભર ભારત અભિયાનનું પરિણામ સંરક્ષણવાદના રૂપમાં સામે આવવું જાેઇએ નહીં. પહેલા પણ ઘણી સરકારોએ આ પ્રકારની નીતિઓ અપનાવવાની કોશિશ કરી પણ તેનો કોઈ લાભ જાેવા મળ્યો નથી.

રઘુરામ રાજને કહ્યું કે, જાે આર્ત્મનિભર ભારત અભિયાન સામાનના ઉત્પાદન માટે એક પરિવેશ બનાવવાને લઇ છે, તો એ મેક ઈન ઈન્ડિયા પહેલને જ એક નવા રૂપમાં રજૂ કરવા જેવું છે. જાે આર્ત્મનિભર ભારતનો અર્થ સંરક્ષણવાદથી સંબંધિત છે, તો દુર્ભાગ્યથી ભારતે હાલમાં જ ઘણાં ચાર્જ વધાર્યા છે. મારી સમજમાં તે રસ્તો પસંદ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે આપણે પહેલા પણ આને લઇ ઘણી કોશિશો કરી લીધી છે. RBIના પૂર્વ ગવર્નરે કહ્યું કે, પહેલા આપણી પાસે લાયસન્સ પરમિટ રાજ વ્યવસ્થા હતી. સંરક્ષણવાદની એ રીત સમસ્યા પેદા કરનારી હતી. તેનાથી અમુક કંપનીઓ સમૃદ્ધ બની, તો જ્યારે આપણામાંથી ઘણાં લોકો માટે તે ગરીબીનું કારણ પણ બની. 

ઈનકોનોમિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈક્રિયરના ઓનલાઇન કાર્યક્રમને સંબોધિત કરતા રાજને આ વાત કહી છે. રાજન હાલમાં શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે નિર્માણ વ્યવસ્થાની જરૂર છે અને તેનો અર્થ છે કે દેશના નિર્માતાઓની સસ્તી આયાત સુધી પહોંચ હોય. તે વાસ્તવમાં મજબૂત નિકાસ માટે આધાર બનાવવાનું કામ કરે છે.

તેમણે કહ્યું કે, આપણે વૈશ્વિક સપ્લાઇ ચેનનો ભાગ બનવા માટે પાયાનું માળખું, લોજિસ્ટિક સપોર્ટ વગેરેની વ્યવસ્થા કરવાની જરૂર છે. આપણે ટેરિફ વોર શરૂ કરવું જાેઇએ નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે તેનો કોઈ ફાયદો થવાનો નથી. ઘણાં દેશોએ આ દિશામાં કોશિશ કરી છે ભારતે શિક્ષા ક્ષેત્રમાં ખાસ્સી મહેનત કરવાની જરૂર છે. આપણે વિભિન્ન દેશોને સારી શિક્ષા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.