લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, ઓગ્સ્ટ 2026 |
3069
તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ શનિવારે ભારતીય રાષ્ટ્ર સમિતિના નેતાઓ પર કોંગ્રેસ સરકારને બદનામ કરવા માટે તંત્ર-મંત્ર કરાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે નેતાઓએ રાજ્યમાં દુષ્કાળ, ખેડૂતોની મુશ્કેલી અને કોંગ્રેસ સરકારના પતન માટે પ્રાર્થના કરી. તેમણે નામ લીધા વિના મ્ઇજી ધારાસભ્ય ટી. હરીશ રાવ પર કર્ણાટક અને તમિલનાડુના મંદિરોમાં જઈને તંત્ર-મંત્ર કરાવવાનો આરોપ લગાવ્યો. સીએમએ આ વાત સંગારેડ્ડીમાં એક કાર્યક્રમમાં કહી. તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ બી મહેશ કુમાર ગૌડે પણ ૪ ઓગસ્ટે આરોપ લગાવ્યો હતો કે હરીશ રાવે રાજ્યમાં વરસાદ રોકવા માટે ક્ષુદ્ર પૂજા (તંત્ર-મંત્ર) કરી હતી.
હરીશ રાવે સીએમના આરોપો પર પલટવાર કરતા તેમના પર સ્વતંત્રતા દિવસના દિવસે જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર, અધૂરી ખેડૂત દેવા માફી અને ખાતરની અછત જેવા મુદ્દાઓ સતત ઉઠાવતા રહ્યા છે, તેથી સીએમ તેમની વિરુદ્ધ આવા નિવેદનો આપી રહ્યા છે. તે ખેડૂતો, બેરોજગાર યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવતા રહેશે. તેમણે સીએમના આરોપોને લઈને બદનક્ષીનો દાવો કરવાની વાત પણ કહી. આ પહેલા ૧૩ ઓગસ્ટે પણ સીએમ રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે મ્ઇજી નેતાઓએ કોંગ્રેસ સરકારને બદનામ કરવા માટે તંત્ર-મંત્ર અને કાળો જાદુ કરાવ્યો હતો.