મુંબઇ
જોન અબ્રહમ હાલ વારાણસીમાં ફિલ્મ સત્યમેવ જયતે ટુનું શૂટિંગ કરી રહ્યો છે. તેવામાં રિપોર્ટ આવ્યો છે કે, ફિલ્મનું એકશન દ્રશ્ય ભજવતી વખતે તેને ગંભીર ઇજા થઇ છે. તેને તરત જ ત્યાંની લોકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફર્સ્ટ એડ સારવાર આપવામાં આવી હતી તેમજ એક્સરે લેવામાં આવ્યો હતો. આ ફિલ્મના શૂટિંગ માટે જોન ૩૦ ડિસેમ્બર સુધી બનારસમાં રહેવાનો હતો.
જોનનું શૂટિંગ ગંગા કિનારે પંચકોટ ઘાટ સ્થિત એક ભવનમાં થઇ રહ્યું હતું. એક સીનમાં તેણે મુક્કો મારવાનો હતો. ત્યારે તેનો હાથ દરવાજા પરના પત્થર પર લાગી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. તેમ છતાં તેણે તે દ્રશ્યનું શૂટિંગ પુરુ કર્યું હતું. આ પછી તે આગલો સીન કરવા ગયો ત્યારે તેને દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
જોનની આ ફિલ્મ મિલાપ ઝવેરીના નિર્દેશન હેઠળ બની રહી છે. જેને આવતા વરસની ઇદ પર રિલિઝ કરવાની યોજના છે. જેમાં તેની સાથે દિવ્યા ખોસલા કુમાર જોવા મળવાની છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments