મુંબઇ

જોન અબ્રહમ હાલ વારાણસીમાં ફિલ્મ સત્યમેવ જયતે ટુનું શૂટિંગ કરી રહ્યો છે. તેવામાં રિપોર્ટ આવ્યો છે કે, ફિલ્મનું એકશન દ્રશ્ય ભજવતી વખતે તેને ગંભીર ઇજા થઇ છે. તેને તરત જ ત્યાંની લોકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફર્સ્ટ એડ સારવાર આપવામાં આવી હતી તેમજ એક્સરે લેવામાં આવ્યો હતો. આ ફિલ્મના શૂટિંગ માટે જોન ૩૦ ડિસેમ્બર સુધી બનારસમાં રહેવાનો હતો. 

જોનનું શૂટિંગ ગંગા કિનારે પંચકોટ ઘાટ સ્થિત એક ભવનમાં થઇ રહ્યું હતું. એક સીનમાં તેણે મુક્કો મારવાનો હતો. ત્યારે તેનો હાથ દરવાજા પરના પત્થર પર લાગી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. તેમ છતાં તેણે તે દ્રશ્યનું શૂટિંગ પુરુ કર્યું હતું. આ પછી તે આગલો સીન કરવા ગયો ત્યારે તેને દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. 

જોનની આ ફિલ્મ મિલાપ ઝવેરીના નિર્દેશન હેઠળ બની રહી છે. જેને આવતા વરસની ઇદ પર રિલિઝ કરવાની યોજના છે. જેમાં તેની સાથે દિવ્યા ખોસલા કુમાર જોવા મળવાની છે.