વડોદરા
નવાપુરા પોલીસ મથકના વિવાદીત પીએસઆઈ ડી.એસ.પટેલની કંટ્રોલ રૂમ ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવી છે. ગઈકાલે માસ્કના મુદ્ે નિર્દોષ યુવકને ઢોરમાર મારવાના બનાવ બાદ આજે માજી સાંસદ અને કોંગ્રેસના અગ્રણી સત્યજિત ગાયકવાડે પણ પોલીસ કમિશનર ડો. સમશેરસિંગને મળી રૂબરૂ રજૂઆત કરી હતી.
માસ્ક ચેકિંગ માટે ગઈકાલે પોલોગ્રાઉન્ડ ખાતે ઊભેલા પીએસઆઈ ડી.એસ.પટેલ સહિતની ટીમે માંજલપુરના યુવાન કારચાલક રિધમ પટેલને અટકાવી માસ્ક નાકની નીચે હોવાનું જણાવી દંડ ભરવા જણાવ્યંુ હતું. એ જ સમયે ત્યાં હાજર પીસીઆર વાનમાં બેઠેલા પોલીસ કર્મચારીએ માસ્ક નહીં પહેર્યું હોવાથી રજૂઆત કભરી હતી. પરિણામે ઉશ્કેરાયેલા પીએસઆઈએ યુવકને ડંડા વડે ઢોરમાર માર્યો હતો. જેને લઈને યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અગાઉ માજી સાંસદ સાથે પણ આ જ પીએસઆઈએ ઉદ્વત વર્તન કરી લાફો માર્યો હોવાથી સત્યજિત ગાયકવાડે ભોગ બનેલા યુવકને સાથે રાખી પોલીસ કમિશનરને મળી લેખિતમાં રજૂઆત કરતાં પોલીસ કમિશનરે ગંભીરતાથી લઈને નવાપુરા પીએસઆઈ ડી.એસ.પટેલની બદલી કંટ્રોલ રૂમ ખાતે કરી દીધી હતી.
Loading ...