થાઈલેન્ડમાં ૩ ભારતીય પ્રવાસીનું અપહરણ રૂપિયા૧.૨૦ કરોડની ખંડણીની માગ કરાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   2178


થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓનું અપહરણ કરીને તેમના પરિવારો પાસેથી ૧.૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે આ મામલે પાંચ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે.

પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે તેમને એક પાકિસ્તાની નાગરિકે આ અપહરણને અંજામ આપવાના નિર્દેશ આપ્યા હતા. પીડિતોની ઓળખ મોહિત (૨૩), આશિષ (૨૪) અને હિમાંશુ (૨૦) તરીકે થઈ છે. આરોપીઓએ તેમને સસ્તા ૭ દિવસના ટૂર પેકેજની લાલચ આપીને થાઈલેન્ડના પતાયા શહેરમાં બોલાવ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી તેમને એક ઘરમાં બંધક બનાવી લેવામાં આવ્યા અને તેમના પરિવારો પાસેથી ત્રણેયના બદલામાં ૪૦-૪૦ લાખ રૂપિયા, એટલે કે કુલ ૧.૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી.પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અવતાર સિંહ (૩૮), જગજીત સિંહ (૩૮), રંભાલક કુમાર (૨૪), સુખબીર સિંહ (૩૭) અને કુલરા સિંહ (૨૭) તરીકે થઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution