સમુદ્રની અંદર ભારતની સૌથી મોટી ખાસ શોધમાં શું ભગવાન કૃષ્ણની દ્વારકા મળશે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જુલાઈ 2026  |   2673


કેન્દ્ર સરકારે સમુદ્રમાં છુપાયેલા ભારતના પ્રાચીન ઇતિહાસને ઉજાગર કરવા માટે એક મોટી ઝુંબેશ શરૂ કરી છે. ૨૦૩૦ સુધી અનેક ઐતિહાસિક દરિયાઈ સ્થળોએ પાણીની અંદર પુરાતત્વીય સંશોધન અને ખોદકામ હાથ ધરવામાં આવશે. આ મિશનનો હેતુ સમુદ્ર નીચે દટાયેલા પ્રાચીન શહેરો, બંદરો, કિલ્લાઓ અને સંસ્કૃતિઓના પુરાવા શોધવાનો છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પાણીની અંદરની પુરાતત્વ શાખા હાલમાં ગુજરાતના દ્વારકા અને બેટ દ્વારકા, તમિલનાડુના મહાબલીપુરમ અને પુડુચેરીના કરાઈકલમાં સર્વેક્ષણ અને સંશોધન કરી રહી છે. તમિલનાડુના પુમપુહાર અને ગુજરાતના બેટ દ્વારકા, ચારી અને ગંગટા બેટમાં પાણીની અંદરની શોધ અને ખોદકામ માટે પણ પરવાનગી આપવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં, દ્વારકા, બેટ દ્વારકા, વિજયદુર્ગ, જંજીરા, કરાઈકલ અને મહાબલીપુરમ આ મિશનના મુખ્ય કેન્દ્રો હશે.

દ્વારકા આ મિશનનું સૌથી લોકપ્રિય કેન્દ્ર છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ ભગવાન કૃષ્ણની રાજધાની હતી, જે પાછળથી સમુદ્રમાં ડૂબી ગઈ. વર્ષોથી, સમુદ્રની નીચે પથ્થરની રચનાઓ, પ્રાચીન લંગર અને અન્ય અવશેષો મળી આવ્યા છે. જાે કે, હજુ સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution