મોરબી-

હળવદ તાલુકાના મિયાણી ગામે જાેરદાર પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગામની તળાવની પાળ પર બેઠેલા ઘેટા પર અચાનક વીજળી પડતાં ૧૨ ઘેટાના મોત થયા હતા. તેમજ ૩ ઘેટા ઘાયલ થયા હતા. વિજળી પડતા મુત્યુ પામનાર ઘેટાના માલિક માલધારી વાલાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે, મોડીસાંજના તળાવની પાળ ઉપર ઝાડ નીચે અમારા ઘેટા બેઠા હતા. ત્યારે અચાનક કડાકા ભડાકા ગાજવીજ સાથે વીજળી પડતાં ૧૨ ઘેટાઓના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા.

જ્યારે અન્ય ત્રણ ઘેટા ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં આજુ બાજુના લોકો તથા ગ્રામજનોના ટોળે ટોળાં બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તંત્રએ તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ હળવદ માનસરરોડ પર આવેલા શ્રીધર કોટન મીલ પાસે વીજળી પડતાં હળવદના જાણીતા એડવોકેટ પી, પી, વાઘેલા પોતાનુ મોટર સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન શીરોઈ ગામ નજીક વીજળી પડતાં તેનું મોત નીપજ્યું હતું.

બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ફરજ પરના ડાૅ.કૌશલ પટેલે તેને મૃતજાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે, પી.પી.વાઘેલાનું મોત વીજળી પડવાથી જ થયું છે. વકીલ પી.પી.વાઘેલાના મોતને પગલે વકીલ મંડળમાં શોક વ્યાપી ગયો હતો.