દિલ્હીમાં ૫૦ વર્ષ જૂની ઈમારત ધરાશાયી, ૩ વિદ્યાર્થીનાં મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026  |   4059

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે પાંચ માળની એક ઈમારત ધરાશાયી થઈ. ત્રણ વિદ્યાર્થીના મોત અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા. જે ઈમારત ધરાશાયી થઈ તે ૪૦-૫૦ વર્ષ જૂની હતી. તે એક હોસ્ટેલ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે વિદ્યાર્થીઓ તેમના રૂમમાં હતા, જ્યારે ભોંયરામાં ખોદકામ ચાલી રહ્યું હતું. નવ લોકોને બચાવી લેવાયા છે. ઈમારતમાં ૨૦-૨૫ રૂમ હતા, જેમાં દરેક રૂમમાં બે વિદ્યાર્થીઓ રહેતા હતા. અકસ્માત સમયે ૫૦થી વધુ લોકો અંદર હતા.ઈમારતના માલિક આનંદ બંસલ ગુરુગ્રામમાં રહે છે. પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો છે.આ ઘટના બપોરે ૧:૩૦ વાગ્યે બની હતી. સ્થાનિક લોકો હથોડા વડે કાટમાળ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક વાહનો પણ કાટમાળ નીચે દટાયેલા છે.અહેવાલો અનુસાર, કાટમાળની બાજુમાં આવેલી બીજી એક ઇમારત ધરાશાયી થવાની સ્થિતિમાં છે, પરંતુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સત્ય નિકેતન દિલ્હી યુનિવર્સિટીના દક્ષિણ કેમ્પસ નજીક એક મુખ્ય વિદ્યાર્થી વિસ્તાર છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પીજી અને હોસ્ટેલમાં રહે છે. આ વિસ્તારમાં ઘણા વિદ્યાર્થી નિવાસસ્થાનો છે, અને નજીકમાં વેંકટેશ્વર કોલેજ, આર્યભટ્ટ કોલેજ, મોતીલાલ નેહરુ કોલેજ અને મૈત્રેયી કોલેજ જેવી સંસ્થાઓ છે.આ જ કારણ છે કે દિવસભર વિદ્યાર્થીઓનો પ્રવાહ સતત રહે છે. જાે કે, સત્ય નિકેતનમાં રહેતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંગે કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution