દિલ્હી-
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન આદિ ગોદરેજે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું. હવે તેમના ભાઈ નાદિર ગોદરેજના હાથમાં કંપનીની કમાન હશે.ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મળેલી બેઠકમાં આદિ ગોદરેજનું રાજીનામું સ્વીકારી લીધું. તેઓ હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ભાગ નહીં બની શકે, પરંતુ કંપનીને માનદ ચેરમેન તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે.
જાેકે આદિ ગોદરેજના રાજીનામા બાદ તેમની વિદાય તાત્કાલિક થવાની નથી. તેઓ ૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી તેમના પદ પર રહેશે અને તે પછી તેઓ કંપનીના ચેરમેનનો ચાર્જ તેમના ભાઈ નાદિર ગોદરેજને સોંપશે.નાદિર ગોદરેજ હાલમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. હવે આદિ ગોદરેજના રાજીનામા બાદ તેમની પાસે ચેરમેન પદની જવાબદારી પણ રહેશે. આદિ ગોદરેજનું પદ છોડવાના પ્રસંગે તેમણે જણાવ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે મને ૪ દાયકાઓ સુધી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની સેવા કરવાની તક મળી. દરમિયાન અમારી કંપનીએ વધુ સારા પરિણામો આપ્યા છે અને કંપનીમાં ઘણા ફેરફારો કર્યા છે. સમય સમય પર મારું સાથ આપવા અને સારી સલાહ આપવા બદલ હું મારા બોર્ડના સભ્યોનો પણ આભારી છું. હું મારી કંપની સાથે સંકળાયેલા દરેકનો આભારી છું.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments