મુંબઇ 

આદિત્ય નારાયણે સોશિયલ મીડિયા પર તેનાં લગ્નનું અનાઉન્સમેન્ટ કરી દીધું છે. તેણે ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે એક ફોટો શેર કરીને જણાવ્યું કે તે આવતા મહિને લગ્ન કરવાના છે. શ્વેતા અને આદિત્યે 'શાપિત' ફિલ્મથી સાથે ડેબ્યુ કર્યું અને રિલેશનમાં આવ્યા. બંને 10 વર્ષથી સાથે છે.


આદિત્યે પોસ્ટમાં લખ્યું, 'અમે લગ્ન કરી રહ્યાં છીએ. હું સૌથી લકી છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે ફાઇનલી ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છીએ. અમે બંને ઘણા પ્રાઇવેટ લોકો છીએ અને માનીએ છીએ કે અંગત જીવનને અંગત રાખવું સૌથી સારું છે. લગ્નની તૈયારી માટે સોશિયલ મીડિયાથી બ્રેક લઇ રહ્યો છું. તમને ડિસેમ્બરમાં મળીશ.' તેણે તેની ફિલ્મના સોન્ગની લાઈન પણ લખી છે, કભી ના કભી તો મિલોગે કહીં પે હમકો યકીન હૈ.

શ્વેતા ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરી ચૂકી છે. તેણે 'શગુન', 'દેખો મગર પ્યાર સે' અને 'બાબુલ કી દુઆએં લેતી જા'માં કામ કર્યું છે. શ્વેતાએ પ્રભાસ અને કિચ્ચા સુદીપ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. આદિત્યે જણાવ્યું હતું કે 'શાપિત' ફિલ્મના શૂટિંગ દરમ્યાન શ્વેતાએ તેની લંચ ડેટની ઓફરને નકારી દીધી હતી.