ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ ર્નિણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને તા.૧ એપ્રિલ-ર૦૧૭ પહેલાં રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે તા.૧ એપ્રિલ-ર૦ર૦થી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીના સમય માટેનો મોટર વાહન વેરો-વ્હીકલ ટેક્ષ માફ કરવામાં આવ્યો છે. આવી સ્કૂલ બસો આ સમયગાળા દરમ્યાન અન્ય કોઇ વ્યાપારીક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી તેની ચકાસણી કર્યા બાદ તેને નોનયુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે. વિજય રૂપાણી સમક્ષ રાજ્યની આવી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપતાં તેમણે આ ર્નિણય કર્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-૧૯ની મહામારીની સ્થિતીમાં શાળા-કોલેજાે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેલા હોવાથી તેમની બસોને મોટર વ્હીકલ ટેક્ષના ભારણમાંથી રાહત આપતાં આ મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પોતાની માલિકીની બસો ધરાવતી હોય અને તે તા.૧-૪-ર૦૧૭ પહેલાં રજીસ્ટ્રર્ડ કરવામાં આવી હોય તેવી સ્કૂલ બસોમાં વાર્ષિક રૂ. ર૦૦ પ્રતિ સીટ પ્રમાણે મોટર વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે. 

શહેર ભાજપ પ્રમુખે સ્કૂલ-કોલેજ બસોને ટેક્સમાં માફી આપવા પત્ર લખ્યો હતો

વડોદરા, તા.૪

વડોદરા ટૂર એન્ડ ટ્રાવેર્લ્સ એસોસિયેશન દ્વારા સ્કૂલ, કોલેજ અને ટુરિસ્ટ બસોને નોનયુઝ અને રોડ ટેક્સમાં માફી આપવા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહને રજૂઆત કરાતાં આ સંદર્ભે ડો. વિજય શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને ટ્રાવેર્લ્સ સંચાલકોને વધુ છ મહિના સુધી ટેકસમાં માફી આપવા મોની રજૂઆતને યોગ્ય ન્યાય આપવા વિનંતી કરી હતી. આજે શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલો માટેના વાહનોને ૩૧મી ડિસેમ્બર સુધી ટેક્સ માફ કરવાની જાહેરાત કરતાં ખુશી વ્યક્ત કરી હતી.