રાજ્ય સરકાર દ્વારા ૨૩ દિવસ બાદ વેપાર-ધંધા માટે છૂટછાટ આપતાં ૯ વાગ્યાથી જ પોતાના વેપાર-ધંધા-રોજગારના સ્થળો ઉપર પહોંચી ગયા હતા અને વેપાર-ધંધો શરૂ કરી દીધો હતો. જેને પગલે બજારોમાં લોકો પોતાની જરૂરિયાતમંદ ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે વહેલી સવારથી જ ધસી જતાં બજારોમાં ભીડ જાેવા મળી હતી. તો બીજી તરફ રાજમાર્ગો પર ઠેર-ઠેર વાહનચાલકોની ભીડને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.