દેવગઢ બારિયા : કોરોનાની મહામારીને કારણે લાદવામાં આવે લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર બંધ થતાં હાલત કફોડી બની હતી. લોકડાઉન બાદ શરૂ થયેલા અનલોકમાં ધીરે ધીરે તમામ ધંધા રોજગાર પુનઃ ધમધમતા થતાં લોકોની આર્થિક ગાડી પાટે ચઢી છે. પરંતુ ડી.જે પર પ્રતિબંધ યથાવત રાખતા ધંધા-રોજગાર વગર બેકાર બનેલા દાહોદ જિલ્લાના તમામ ડી.જે વાળાઓએ જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર આપી ડી.જેનો ધંધો પુનઃ ચાલુ કરવાની મંજૂરી આપવાની માંગણી કરી છે અને દિન પાંચમાં ર્નિણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાં કોરોના મહામારીને કારણે ડી.જે પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે આવનાર દિવાળીની સિઝન લગ્ન પ્રસંગ ઘર વાસ્તુ પ્રસંગોમાં લાઉડ સ્પીકર મુકવાની પરવાનગી આપવાની માગણી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના તથા તાલુકાના તમામ ડી.જે માલિકો પાંચ દિવસમાં ન્યાય અને ઊંચી જવાબ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સરકારી ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગમાં સો માણસો ની જગ્યાએ હવે ૨૦૦ જણાને હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે આ ૨૦૦ જણામાં લાઉડ સ્પીકર વગાડવાની અમોને પરવાનગી આપવામાં આવે તેવી નમ્ર અપીલ પણ કરવામાં આવી છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments