દિલ્હી-

દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરના પ્રકોપથી બચવા માટે હવે ભારતીય સેના પણ આગળ આવી રહી છે. ભારતીય સેના ૩ સ્ટાર જનરલની હેઠળ એક કોવિડ પ્રબંધન સેલ બનાવી રહી છે, તેનાથી મહામારીની આ વ્યાપક લડાઈમાં મદદ મળશે. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે આ સેલનું સંચાલન ઓપરેશન લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટના નિદેશક દ્વારા કરવામાં આવે છે. નાગરિક અધિકારીઓની સહાયતાની દેખરેખ કરનારા ૩ સ્ટાર અધિકારી સીધા ઉપ પ્રમુખને રિપોર્ટ કરશે. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, સ્ટાફિંગ અને લોજિસ્ટિક સપોર્ટના અનેક પાસાઓને સમન્વિત કરવા માટે એક મહાનિદેશક રેન્કના અધિકારીની હેઠળ એક વિશેષ કોવિડ પ્રબંધન સેલની સ્થાપના કરવામાં આવી છે, જે સીધા સેનાના કર્મચારીઓના પ્રમુખોને રિપોર્ટ કરે છે. રક્ષા મંત્રાલયના સશસ્ત્ર દળ અને અન્ય વિંગ કોવિડ-૧૯ની લડાઈના રાષ્ટ્રીય પ્રયાસો કેન્દ્રમાં રહે છે. તેઓએ કોવિડ-૧૯ હૉસ્પિટલોની સ્થાપના કરી છે.

ઓક્સિજન ઉત્પાદનમાં વૃદ્ધિ કરી છે અને કોવિડ-૧૯ મામલાઓની વધતી સંખ્યાનો સામનો કરવા માટે મદદ કરવા રાજ્ય સરકારોની સાથે મેડિકલ કર્મચારીઓ અને ઓક્સિજન કન્ટેનરોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સેનાના પૂર્વ અધિકારીઓ અને તેમના આશ્રિતો માટે સ્વયં સંરક્ષણ અને ચિકિત્સા દેખભાળ સુનિશ્ચિત કરી છે, બીજી તરફ વિશેષ રીતે પહેલાથી જ કામ કરી રહ્યા છે. દિલ્હી, અમદાવાદ, લખનઉ, વારાણસી અને પટનામાં સ્થાપિત થવાની પ્રક્રિયામાં પાંચ કોવિડ-૧૯ હૉસ્પિટલોમાં નાગરિક અધિકારીઓની સહાયતા માટે ઘણા મેડિકલ સંસાધનોને તૈનાત કર્યા છે. સેનાએ કહ્યું કે, નવું કોવિડ-૧૯ પ્રબંધન સેલ દિલ્હી સહિત દેશભરમાં કોવિડ-૧૯ મામલામાં ઝડપથી વૃદ્ધિને લઈને કામ કરવા માટે વાસ્તવિક સમયની પ્રતિક્રિયામાં સમન્વયમાં વધુ દક્ષતા લાવશે.